
પ્રજ્ઞેશ નાયક નો જ્ન્મ ૧૭-૦૬-૧૯૭૫ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના એરથાણ ગામના વતની નટવરલાલ રમણલાલ નાયક અને રમીલાબેન નટવરલાલ નાયકના ઘરે થયો હતો. પોતાના અભ્યાસનુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડદલા તેમજ અમલસાડ (નવસારી) ખાતે પૂર્ણ કર્યુ. ત્યારબાદ બી.કોમ માથી સ્નાતક થયા. બાળપણથી જ તેઓ સમાજસેવાના કાર્યોમા પોતાનુ યોગદાન આપતા રહેતા અને આજ તેમનો સમાજસેવી સ્વભાવ ઉંમરની સાથે સાથે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમમાં પરિણ્મ્યું. છેલ્લા ૨૦ વષૅથી સામાજીક, શૌક્ષણિક રાજકીય અને સહકારી ક્ષેત્રે પોતાનું યોગદાન આપતા આવ્યા છે.

તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.

ઇ.સ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ સહમંત્રીની જ્વાબદારી સોંપવામા આવી.

ઇ.સ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ ઉપપ્રમુખની જ્વાબદારી સોંપવામા આવી.

એમની આગવી સુઝબુઝના કારણે ઇ.સ. ૨૦૧૧માં પ્રજ્ઞેશ નાયકની એરથાણ વડદલા વિભાગ પિયત સહકારી મંડળી લિના પ્રમુખ રીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઇ.સ ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ મહામંત્રીની જ્વાબદારી સોંપવામા આવી.

એ.વી.ટી. સસ્વતી વિધાલયના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઉકાઈ-કાકરાપાર ફેડરેશન સોસાયટીઝના ડિરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

૨૦૧૨ થી ૨૦૧૬ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ પ્રમુખની જ્વાબદારી સોંપવામા આવી.

૨૦૧૬ થી ૨૦૧૭ સુધી દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન મહામંત્રીની જ્વાબદારી સોંપવામા આવી.

૨૦૧૬ થી ૨૦૨૧ સુધી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉ કારોબારી સ્ભ્ય બન્યા.

ઇ.સ. ૨૦૧૮માં પ્રજ્ઞેશ નાયકની સુરત જિલ્લા શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઇ.સ. ૨૦૧૮માં પ્રજ્ઞેશ નાયકની લાયન્સ કલબ ઓફ સુરત સીટીલાઈટના ખજાનચી તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઇ.સ. ૨૦૧૯ માં પ્રજ્ઞેશ નાયકની ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઇ.સ. ૨૦૧૯ માં પ્રજ્ઞેશ નાયકની દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન ના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઇ.સ ૨૦૨૧માં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉના ઉપપ્રમુખ બન્યા.